Pashu Khan-Dan Sahay Yojana 2022 : પશુપાલન અને ખેડૂત એક સિક્કાની બે બાજુ છે. ગુજરાત સરકાર પણ ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. કૃષિ સહકાર, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા પશુપાલન યોજના 2022 માહિતી મેળવી શકે છે. આ પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Arji કરી શકે છે. આ આર્ટિકલ દ્વારા પશુપાલન વિભાગની પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય વિશે માહિતી આપીશું. Pashu Khandan Sahay Yojana 2022 માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે અરજી કરવી વગેરે માહિતી મેળવીશું.
Pashu Khan-Dan Sahay Yojana
ગુજરાતમાં દિન-પ્રતિદિન પશુપાલનનો વ્યાપ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. પશુપાલકો પોતાની ગાયો અને ભેંસોને પૌષિટક આહાર આપતા હોય છે. આ આહાર પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં પશુદાણ મેળવી શકે છે. ગાભણ પશુઓને ખાણદાણ મળી રહે તે માટે Pashu Khandan Sahay Yojana 2022 બહાર પાડેલી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. આ યોજના હેઠળ પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાયઆપવામાં આવશે.
મફત ખાણ-દાણ સહાય યોજના
યોજનાનું નામ | પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય Pashu Khan-Dan Sahay Yojana |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો |
સહાય | મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે. |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
આવેદનનું માધ્યમ | Online |
અરજી કરવાની છેલ્લી તારીખ | તા 01/05/2022 થી 31/05/2022 સુધી |
મફત ખાણ-દાણ સહાય યોજનાનો હેતુ
- ગુજરાત રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વ-નિર્ભર બને, તેગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. પશુપાલકોને પ્રોત્સાહન પૂરું પાડવા ખાણદાણ સહાય આપવાનું નક્કી કરેલ છે.
- ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100 % સહાય આપવામાં આવશે. એટલે કે, ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
Pashu Khan-Dan Sahay Yojana હેઠળ મળવાપાત્ર લાભ
ગુજરાત રાજ્યના પશુપાલકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તેમને ikhedut portal 20212 ની આ યોજનાનો લાભ મળશે.આ યોજના હેઠળ જ્ઞાતિ મુજબ સ્કીમ અલગ-અલગ છે. જ્ઞાતિઓ વાઈઝ લાગુ પડતી સ્કીમમાં મળવાપાત્ર વિગતો નીચે મુજબ છે.
- પશુપાલક દીઠ 250 કિલોગ્રામ પશુ ખાણ દાણ 100 % લેખે સહાય આપવામાં આવે છે.
- વાર્ષિક પ્રતિ પશુ દીઠ, પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ 1 (એક) જ વખત સહાય મળવા પાત્ર રહેશે.
DMS-1(અ. જ. જા.) એસ.ટી જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | અનુસુચિત જનજાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
DMS-1(અ.જા.) એસસી. જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | અનુસુચિત જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
DMS-1(સામાન્ય) સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય | સામાન્ય જાતિના લાભાર્થી દીઠ કુલ 250 કિગ્રા ખાણદાણ માટે 100% લેખે સહાય આપવામાં આવશે. |
મફત ખાણ-દાણ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
પશુપાલન વિભાગ દ્વારા KhanDan Sahay Yojana માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
- પશુપાલક પાસે પોતાની ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
- પશુપાલકોના ગાય-ભેંસ ગાભણ હોવા જોઈએ.
- લાભાર્થી દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
- પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
- I-khedut Portal હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે, અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
- I-Khedut પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ એક વખત સહાય મળવા પાત્ર રહેશે.
- રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્રારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે.
દરજી કામ માટે લોન સહાય યોજના 2022 | Silai Machine Loan Sahay Yojana
આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી આધાર પુરાવા
I-ખેડૂત પોર્ટલ પર પશુપાલન વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. પશુપાલકોના ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી S.C જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- જો ખેડૂત લાભાર્થી S.T જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- આધાર નંબર સાથે જોડાયેલ બેંક એકાઉન્ટ
- કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
- છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Pashu Khan-Dan Sahay Yojana માટે ઓનલાઈન અરજી
પશુપાલનની યોજનાનો પશુપાલકોને લાભ આપવામાં આવે છે. પશુપાલકો i-khedut Portal પરથી Online Application કરવાની રહેશે છે. પશુપાલકો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે. પશુ ખાણદાણ સહાય યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે રિઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- Ikhedut Portal ખોલ્યા બાદ ”યોજના” પર ક્લિક કરવું.
- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-2 પર પશુપાલનની યોજનાઓ” ખોલવું.
- “Pashupalan Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ પશુપાલનની યોજનાઓ બતાવશે.
- જેમાં “જ્ઞાતિવાઈઝ ” પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય” યોજનાઓ બતાવશે.
- “જેમાં તમે જે જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિની યોજનાની સામે “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Pashu Khan-Dan Sahay Yojana લિંક
Ikhedut Portal | Click Here |
Animal Husbandry Gujarat Website | Click Here |
ઓનલાઈન અરજી કર્યા પછીની પ્રક્રિયા
- લાભાર્થીએ Online Arji કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- પશુપાલકોઓએ પોતાની પ્રિન્ટ મેળવ્યા બાદ સંબંધિત અધિકારીઓના સહી-સિક્કા કરાવવાના રહેશે.
- છેલ્લે, ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
- આમ, સફળતાપૂર્વક ઓનલાઈન થયેલી ગણાશે.
પશુપાલકોને મળશે 5 લાખ સુધીની સહાય | Dairy Farm Sahay Yojana 2022